કાર્તિકેય સ્વામીના આઠ નામોનો મહિમા: સ્કંદ દેવની કથા અને ઉપાસનાનું મહત્વ

ingujarati
0

કાર્તિકેય સ્વામીનું પરિચય અને મહત્ત્વ

ભગવાન શિવના પુત્ર એવા કાર્તિકેય સ્વામી દેવતાઓમાં વિશેષ સ્થાન ધરાવે છે. તેઓ ભગવાન ગણેશના મોટા ભાઈ છે અને મુખ, બાર નેત્રો તથા બાર હસ્તો ધરાવે છે. મયૂર (મોર) પર સવાર રહેવું તેમની વિશેષ ઓળખ છે. ભગવાન કાર્તિકેય વિવિધ સ્વરૂપોમાં પૂજનીય છે અને શક્તિ, શૌર્ય તથા જ્ઞાનના પ્રતિક માનવામાં આવે છે.

તારકાસુરની કથા અને શિવજીનું ધ્યાન

તારકાસુર નામના રાક્ષસે કઠોર તપસ્યા કરીને બ્રહ્માજી પાસેથી વરદાન મેળવ્યું હતું કે માત્ર ભગવાન શિવ તેને મારી શકે. વરદાન મળ્યા બાદ તેણે દેવતાઓ પર અત્યાચાર શરૂ કર્યો. સમયે સતીના દેહત્યાગ પછી ભગવાન શિવ ધ્યાનાવસ્થામાં લીન હતા. દેવતાઓએ શિવજીને ધ્યાનમાંથી જગાડવા કામદેવને વિનંતી કરી, જેના કારણે શિવજીના ત્રીજા નેત્રમાંથી ક્રોધાગ્નિ પ્રગટ થઈ.

સિંદૂરીયા ગણેશજીના ચમત્કારિક દર્શન અને ભક્તોની અડગ આસ્થા

 

કાર્તિકેય સ્વામીનો જન્મ અને તારકાસુર સંહાર

શિવ અને પાર્વતીના લગ્ન બાદ તેમના પુત્ર રૂપે કાર્તિકેય સ્વામીનો જન્મ થયો. તેઓ દેવતાઓના સેનાપતિ બન્યા અને તારકાસુરનો સંહાર કર્યો. આથી દેવલોકમાં આનંદ અને જયજયકાર છવાઈ ગયો. દક્ષિણ ભારતમાં કાર્તિકેય સ્વામી સ્કંદ અને અય્યપ્પા સ્વરૂપે વિશેષ પૂજનીય છે.


કાર્તિકેય સ્વામીના આઠ નામોનો નિત્ય જાપ કરવાથી ભક્ત પર ભગવાન પ્રસન્ન થાય છે. નામસ્મરણથી શત્રુઓ પર વિજય, કાર્યસિદ્ધિ, જ્ઞાન અને બળ પ્રાપ્ત થાય છે.

🔸 કાર્તિકેય સ્વામીના આઠ પવિત્ર મંત્ર

·         હરિ સ્કંદાય નમઃ

·         હરિ શંકરાત્મજાય નમઃ

·         હરિ પાર્વતીપુત્રાય નમઃ

·         હરિ શક્તિધારિણ્યે નમઃ

·         હરિ દેવસેનાપતયે નમઃ

·         હરિ તારકાંતકાય નમઃ

·         હરિ શડ્મુખાય નમઃ

·         હરિ મયૂરવાહનાય નમઃ

 

શિવ પુરાણ કથાઓ

Tags

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Ok, Go it!
To Top