કુરુક્ષેત્રના યુદ્ધમેદાનમાં જ્યારે પાંડવો અને કૌરવો આમને સામને ઊભા હતા, ત્યારે એક અદભૂત અને દિવ્ય ઘટના બની. અર્જુન યુદ્ધ માટે તૈયાર હતા, પરંતુ પોતાના સ્વજનો, ગુરુઓ અને સ્નેહીઓ સામે યુદ્ધ કરવાનું વિચારી તેઓ વ્યથિત થઈ ગયા. તેમણે પોતાના તમામ શસ્ત્રો યુદ્ધમેદાનમાં મૂકી દીધા અને યુદ્ધ કરવા ઇનકાર કર્યો. તે સમયે ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને જીવનનું પરમ સત્ય સમજાવ્યું. આ જ ઉપદેશ સ્વરૂપે ભગવદ ગીતા પ્રગટ થઈ. ભગવદ ગીતા માત્ર એક ગ્રંથ નથી, પરંતુ જીવન જીવવાની સાચી કળા છે. ભગવાન કૃષ્ણના શ્રીમુખેથી પ્રગટ થયેલી ગીતા માનવજાત માટે જ્ઞાનનો અખૂટ ભંડાર છે.
![]() |
| Bhagavad Gita Mahatmya |
ગીતા જ્યંતિ અને તેનું મહત્વ | Bhagavad Gita Mahatmya
માગશર સુદ એકાદશીના દિવસે ગીતા જ્યંતિ ઉજવવામાં આવે છે. આ દિવસે જ કુરુક્ષેત્રમાં ગીતા નો ઉપદેશ આપવામાં આવ્યો હતો. ગીતા જ્ઞાન, ભક્તિ, કર્મ અને વૈરાગ્યનો સંગમ છે. ગીતા કહે છે કે જીવનમાં કર્તવ્યનું પાલન કરવું એ જ સાચી ભક્તિ છે. દુનિયાના તમામ પ્રશ્નોના ઉત્તર ભગવદ ગીતામાં સમાયેલ છે. ઘરમાં નિત્ય ગીતા નો પાઠ કરવાથી શાંતિ અને સુખની પ્રાપ્તિ થાય છે. ગીતા ગ્રંથનું નિયમિત વાંચન મનને સ્થિર બનાવે છે અને જીવનમાં યોગ્ય માર્ગદર્શન આપે છે.
ગીતા પરમાત્માનું સ્વરૂપ | Gita as Divine Knowledge
અર્જુને ભગવાન કૃષ્ણને પૂછ્યું હતું કે તેઓ ભગવાનનું વિરાટ સ્વરૂપ કેમ જોઈ શકતા નથી? ત્યારે ભગવાને સમજાવ્યું કે દિવ્ય દૃષ્ટિ વગર પરમાત્માનું સાચું સ્વરૂપ જોવા શક્ય નથી. સંજય પાસે દિવ્ય શક્તિ હતી, તેથી તેઓ ધૃતરાષ્ટ્રને કુરુક્ષેત્રનું વર્ણન કરી શક્યા. ઋષિ-મુનિઓ પાસે યોગશક્તિ હતી, જેના દ્વારા તેઓ પરમ તત્ત્વને અનુભવી શકતા હતા. ગીતા માત્ર પુસ્તક નથી; તે સ્વયં પરમાત્માનો પ્રત્યક્ષ ઉપદેશ છે.
![]() |
| Bhagavad Gita Mahatmya |
ગીતા પાઠનું મહાત્મ્ય | Benefits of Gita Path
શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે:
"ગીતા યા: પુષ્ટકં યત્ર યત્ર પાઠ: પ્રવર્તતે,
તત્ર સર્વાણી તીર્થાની પ્રયાગાદીની તત્ર વૈ."
અર્થાત્ જ્યાં ગીતા નો પાઠ થાય છે, ત્યાં તમામ તીર્થોનું નિવાસ હોય છે. જે ઘરમાં ગીતા હોય તે ઘર તીર્થ સમાન બને છે.
બીજો શ્લોક કહે છે:
"અધ્યાયં શ્લોક પાદંવા નિત્યં યઃ પાઠતે નરઃ,
સ યાતિ નરતામ્ યાવન્ મન્વંતરં વસુંધરે."
જે મનુષ્ય નિત્ય એક અધ્યાય અથવા એક શ્લોકનો પાઠ કરે છે, તે જન્મમરણના બંધનમાંથી મુક્ત થાય છે. ગીતા નો પાઠ કરવાથી દુઃખો દૂર થાય છે અને પાપમુક્તિનો આશીર્વાદ મળે છે.
ભગવદ ગીતા ના 18 અધ્યાયોના ફળ | 18 Chapters of Bhagavad Gita and Their Benefits
ભગવદ ગીતા માં કુલ 18 અધ્યાય અને 700 શ્લોકો છે. દરેક અધ્યાય જીવનને નવી દિશા આપે છે.
- પ્રથમ અધ્યાય – દુઃખમાંથી મુક્તિ
- બીજો અધ્યાય – આત્મજ્ઞાન
- ત્રીજો અધ્યાય – કર્મફળ પ્રાપ્તિ
- ચોથો અધ્યાય – જ્ઞાનપ્રાપ્તિ
- પાંચમો અધ્યાય – મોક્ષપ્રાપ્તિ
- છઠ્ઠો અધ્યાય – મનની શાંતિ
- સાતમો અધ્યાય – સફળતા
- આઠમો અધ્યાય – વૈકુંઠપ્રાપ્તિ
- નવમો અધ્યાય – ભક્તિપ્રાપ્તિ
- દસમો અધ્યાય – અલૌકિક જ્ઞાન
- અગિયારમો અધ્યાય – દેવ આશીર્વાદ
- બારમો અધ્યાય – આધ્યાત્મિક જ્ઞાન
- તેરમો અધ્યાય – જ્ઞાન અને શક્તિ
- ચૌદમો અધ્યાય – મન પ્રફુલ્લિત
- પંદરમો અધ્યાય – ઉત્તમ જ્ઞાન
- સોળમો અધ્યાય – નકારાત્મકતા દૂર
- સત્તરમો અધ્યાય – ઈશ્વર સહાય
- અઢારમો અધ્યાય – જન્મ-મૃત્યુ બંધનથી મુક્તિ
ભગવદ ગીતા માનવજીવનને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જતી દૈવી માર્ગદર્શિકા છે. જીવનમાં ભલે કેટલાય સંકટો આવે, પરંતુ ગીતા નો ઉપદેશ આપણને સ્થિરતા, હિંમત અને આત્મવિશ્વાસ આપે છે.
નિત્ય ગીતા નો પાઠ કરવો, પીળા પુષ્પથી પૂજન કરવું અને તેને જીવનમાં ઉતારવું – એ જ સાચી શ્રદ્ધા છે. "હે જ્ઞાનપ્રદાયિ નમઃ"

