Ashapura Mata Mandir Gujarat : કચ્છના ભુજ ખાતે આવેલ આશાપુરા માતાજીનું ઐતિહાસિક મંદિર આજે લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. આશાપુરા માતાજીનું (Ashapura Mata Temple Bhuj) કચ્છની કુળદેવી તરીકે પ્રસિદ્ધ છે અને ભુજ શહેરની ઓળખ સાથે ગાઢ રીતે જોડાયેલું છે. ભુજ શહેરની સ્થાપના સમયે કચ્છના મહારાવ ખેંગારજી પહેલાના સમયમાં આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. કચ્છ ધણીયાળી આશાપુરા માતાજી સાથે લોકોની ગાઢ શ્રદ્ધા જોડાયેલી છે. નવરાત્રી દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો અહીં દર્શન કરવા આવે છે.
![]() |
| Ashapura Mata Mandir Gujarat |
આશાપુરા માતાજી મંદિરનો ઈતિહાસ | History of Ashapura Mata Temple
કચ્છના ભુજમાં આવેલ આ પૌરાણિક મંદિર સાથે અનેક ઐતિહાસિક ઘટનાઓ જોડાયેલી છે. માન્યતા પ્રમાણે ભુજ શહેરની સ્થાપના સાથે જ આ મંદિરનું નિર્માણ થયું હતું. રાજાશાહી સમયમાં રાજવી પરિવાર અને સ્થાનિક લોકો માતાજીના દર્શન માટે આવતા હતા. આજે પણ જ્યારે ગુજરાત અથવા અન્ય રાજ્યોમાંથી પ્રવાસીઓ કચ્છ આવે છે ત્યારે ભુજ આશાપુરા માતા(Bhuj
Ashapura Mata Mandir) ખાતે શીશ નમાવવાનું ચૂકતા નથી.
બે મૂર્તિ પાછળનું રહસ્ય | Two Idols Mystery
આ મંદિરની વિશેષતા એ છે કે અહીં આશાપુરા માતાજીની બે મૂર્તિઓ બિરાજમાન છે. શરૂઆતમાં મંદિરની સ્થાપના સમયે એક જ મૂર્તિ હતી. પરંતુ કચ્છના મહારાવ રાયધણજી બીજાના શાસનકાળ દરમિયાન વિધર્મી પ્રવૃત્તિઓને કારણે મંદિરોની મૂર્તિઓ ખંડિત કરવાનો પ્રયાસ થયો હતો.
આ વાતની જાણ થતાં મંદિરના પુજારીએ આશાપુરા માતાજીની મૂર્તિને સુરક્ષિત રાખવા માટે ભૂગર્ભમાં ઉતારી દીધી. પછી અંજારના શેઠ અને નાના રજવાડાઓએ મળીને રાયધણજી બીજાને ગાદી પરથી હટાવ્યા. ત્યારબાદ મંદિર માટે નવી મૂર્તિ સ્થાપવાનો નિર્ણય લેવાયો. એ જ સમયે ભૂગર્ભમાં રહેલી મૂળ મૂર્તિ બહાર લાવવામાં આવી અને આજે મંદિરમાં બે મૂર્તિઓ સ્થાપિત છે. આ ઘટના આશાપુરા માતા(Ashapura
Mata History) નો મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે.
ઐતિહાસિક ઘંટ અને રાજવી પરંપરા |
ભુજ આશાપુરા માતાજી મંદિરમાં
200 કિલો વજનનો વિશાળ ઘંટ સ્થાપિત છે. કહેવાય છે કે રાજાશાહી સમયમાં મંદિર સવારે ખોલવામાં આવે અને સાંજે બંધ કરવામાં આવે ત્યારે ઘંટ વગાડવામાં આવતો હતો.
આ પરંપરા આજે પણ યથાવત છે. જ્યારે રાજવી પરિવાર મંદિરના દર્શન માટે આવે છે ત્યારે પણ આ ઘંટ વગાડવામાં આવે છે. આ ઐતિહાસિક પરંપરા આશાપુરા માતાજી સાથે ગાઢ રીતે જોડાયેલી છે.
દસ મહાવિદ્યાના ચિત્રો |
મંદિરના પરિસરમાં માતાજીની દસ મહાવિદ્યાના ચિત્રો સ્થાપિત કરવામાં આવ્યા છે. આ ચિત્રો શાસ્ત્રોક્ત વિધિ દ્વારા સિદ્ધ કરવામાં આવ્યા છે. આ ધામમાં ભક્તો માત્ર દર્શન જ નહીં પરંતુ આધ્યાત્મિક શાંતિનો અનુભવ પણ કરે છે.
નવરાત્રીમાં ભક્તિનો મહિમા |
નવરાત્રી દરમિયાન આશાપુરા માતાજી ખાતે હજારો ભક્તો ઉમટી પડે છે. ભક્તો મા આશાપુરાના ચરણોમાં મનોકામનાઓ મૂકે છે અને માતાજી તેમની ઈચ્છાઓ પૂર્ણ કરે છે એવી અડગ શ્રદ્ધા ધરાવે છે.
કચ્છની કુળદેવી અને દેશદેવી તરીકે ઓળખાતી આશાપુરા માતાજી આજે પણ હજારો ભક્તોના જીવનમાં આશા અને શક્તિનું પ્રતિક છે.
ભક્તોની આસ્થા અને શ્રદ્ધા | Faith and Devotion
આશાપુરા માતાજીનું ધામ માત્ર એક મંદિર નથી પરંતુ ભક્તોની અડગ આસ્થા અને શ્રદ્ધાનું પ્રતિક છે. અહીં આવતા ભક્તો માનતા છે કે મા આશાપુરા તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે. ખાસ કરીને નવરાત્રી દરમિયાન આ ધામમાં ભક્તિનો અનોખો માહોલ સર્જાય છે.
